મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જનભાગીદારીથી સંપન્ન : "Yoga for One Earth One Health" અને " મેદસ્વિતા મુક્ત સ્વસ્થ ગુજરાત"નો ધ્યેય સાકાર કરવા રાજ્યભરમાં લાખો લોકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા : ભારતના ઋષિ-મુનિઓની સમગ્ર માનવજાતને ભેટ સમાન યોગવિદ્યાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી : યોગ દ્વારા માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય સાથે સંપુર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે : ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગ દિવસ અવસરે કરેલા પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું2:47 PM IST

અમદાવાદની વિમાની દુર્ઘટનાઃ એ સમયે ત્‍યાંથી પસાર થયેલ ગુજરાતી ફિલ્‍મોના ડિરેક્‍ટરના મૃત્‍યુ માટે કારણભૂત બની હતી : કુદરતે જો નશીબમાં મૃત્‍યુ લખ્‍યું હોય તો વિમાનમાં ન બેઠા હોવા છતાં એજ હવાઈ દુર્ઘટના મૃત્‍યુ માટે જવાબદાર બની જાય છે, તેવું આપણે માનીએ કે ન માનીએ પણ આ કડવું સત્‍ય હોવાનો આ રહ્યો પુરાવો : ગુમ થયેલ મહેશભાઈ કાવડિયા ઉર્ફે જરાવાલાનો જ મૃતુદેહ હોવાનું DNA સેમ્‍પલ મેચ થવા છતાં લાગણીના કારણે પરિવાર મોતની વાત સ્‍વીકારવા તૈયાર ન હોવાથી પોલીસે ખાતરી કરાવવા સળગી ગયેલ એક્‍ટિવાના ચેસીસ નંબર શોધ્‍યા, આખરે પરિવારે સ્‍વીકાર્યુ : સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની સહિતની ટીમ અને આ કિસ્‍સામાં મહત્‍વની કામગીરી બજાવનાર ડીસીપી પ્રદીપસિંહ જાડેજા આખા ઘટના ક્રમ અકિલા સમક્ષ વિગતે વર્ણવે છે10:54 AM IST

કિરીટકાકાને મળી અત્‍યંત આનંદ અનુભવુ છું: આ મારી સોનેરી યાદ છે : બે વર્ષમાં રાજકોટમાં યાદગાર-રેકર્ડબ્રેક કામગીરી કરનાર કલેકટર પ્રભવ જોષી ‘અકિલા'ના ખાસ અતિથી બન્‍યાઃ મહત્‍વની ચર્ચાઓ કરી : અજીતકાકાએ આવિષ્‍કાર કરેલ સંપુર્ણ સ્‍વદેશી બનાવટના ‘પ્રિન્‍ટીંગ મશીન' ઉપર ‘અકિલા' પ્રિન્‍ટીંગ થતુ જોઇ અભિભૂત બન્‍યા : મેનેજીંગ તંત્રી કિરીટભાઇએ સૌરાષ્‍ટ્રના અનેક હેરીટેજ સ્‍થળો-ઐતિહાસિક ભોયરાઓ અંગે ટુરીઝમના એમડી પ્રભવ જોષીને વિગતો આપીઃ બે વર્ષ મારા ફરજકાળના કયારે વિતી ગયા તે ખબર ન પડીઃ અનેક પડકારો આવ્‍યા પરંતુ પાર કરવામાં સફળતા મળીઃ ‘અકિલા'માં હંમેશા પોઝીટીવ ન્‍યુઝ વાંચી મને હંમેશા પડકારજનક વર્ક કરવાની હિંમત રહેતી4:08 PM IST